રાજકોટમાં દીકરાએ માતાને ઝેર આપીને પોતે પણ ઝેરી દવા પીધી, આપઘાત પહેલા બનાવ્યો વીડિયો...

admin
0

ગુજરાતમાંથી અવારનવાર આપઘાતના મામલા સામે આવે છે. જેમાં કેટલાક લોકો પ્રેમ સંબંધમાં તો કેટલાક લોકો લગ્નેતર સંંબંધમાં તો કેટલાક પારિવારિક ઝઘડા કે આર્થિક તંગી અથવા તો બીમારીને લીધે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી માતા-પુત્રના આપઘાતની ચોંકાવનારી ખબર સામે આવી છે. જેમાં કોઠારિયા રોડ પાસે આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં એક દીકરાએ વીડિયો બનાવી તેની બીમાર માતાને ઝેર આપી પોતે પણ ગટગટાવી લીધું હતું, આ ઘટનાને કારણે બંનેનાં મોત નીપજ્યા છે.

હાલ તો કયા કારણોસર આ પગલું ભર્યુ તેનો ઉલ્લેખ વીડિયોમાં કર્યો નથી, જેને લીધે પોલીસે મૃતક પુત્ર સામે ગુનો નોંધી કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલ ઘનશ્યામનગર ખાતે 80 વર્ષની બીમાર માતા અમીનાબેનને ઝેરી દવા આપી પુત્ર સિકંદરે પણ ગટગટાવી લીધી હતી અને બંનેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ટૂંકી સારવાર બાદ બંનેનાં મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતા તાત્કાલિક ભક્તિનગર પોલીસ દોડી આવી હતી અને પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તો પોલીસને મૃતક યુવકનો આપઘાત પહેલાનો એક વીડિયો મળ્યો હતો અને આ વીડિયોમાં બહેનને સિકંદરે કહ્યું હતું કે, ‘કોઈ માટે કાંઈ કરી શક્યો નથી મને માફ કરજો’. રેશ્મા હું તારો ભાઈ, હું જાવ છું બેન, મને માફ કરજે અને હું બાને પણ સાથે લેતો જાઉં છું. અમે મા-દીકરો હવે જીવી શકી એમ નથી.

બધાય મારા ભાઈ અને ભત્રીજીઓ હું કોઈની માટે કાંઈ કરી શક્યો નથી. મારી માને મૂકીને હું એકલો જઈ શકું એમ નથી, એનું કોણ ધ્યાન રાખશે? તે વીડિયોમાં એમ પણ કહે છે કે, એ પણ જીવીને શું કરશે હવે? એના વગર હું અને મારા વિના એ જીવી શકીએ એમ નથી. હું ઝેરી દવા લઈ આવ્યો છું એમને પાઈને હું પણ પી જાઉં છું. ભાભી મને માફ કરજો તમારો દિયર તમારા માટે કાંઈ કરી શક્યો નથી. મારી ભત્રીજીઓ ભાણિયા-ભાણકીઓ અને મારી મા-બહેન માટે કાંઈ કરી શક્યો નથી. હવે દવા માજીને પાઈને હું પણ પીઉં છું મને માફ કરી દેજો.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)